Uncategorized

માંગરોળ તા.15.9.2020 પિત્રોડા પરિવાર તરફથી શ્રી મામા પાગલ આશ્રમ માં વસતા માનસિક દિવ્યાંગો ને ભોજન કરાવવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી આશરે 35 કિમિ દૂર માધવપુર નજીક આવેલ શ્રી મામા પાગલ આશ્રમ આવેલો છે કે જ્યાં માત્ર ને માત્ર પાગલોની સેવા કરવામાં આવી રહી છે ત્યાં તા.૧૪-૯-૨૦૨૦ ના રોજ *સ્વ.માધવજીભાઈ રાઘવજીભાઈ પિત્રોડા તથા સ્વ.વનરાજભાઈ માધવજીભાઈ પિત્રોડા ની પુણ્યતિથિ નિમિતે*
શ્રી મામા પાગલ આશ્રમે *દૂધપાક,છોલે ચણા, પરોઠા,વેજ.પુલાવ નું સ્વાદિષ્ટ ભોજન માનસિક દિવ્યાંગો ને માન પૂર્વક જમાડવામાં આવ્યું.*
મામા પાગલ આશ્રમ ગ્રુપ- માંગરોળ વતી *સ્વ.માધવજીભાઈ રાઘવજીભાઈ પિત્રોડા તથા સ્વ.વનરાજભાઈ માધવજીભાઈ પિત્રોડા ને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એજ પ્રાર્થના ૐ શાંતિ*

તથા આજ રોજ આ ઉત્તમ કાર્ય કરવા બદલ *પિત્રોડા પરિવાર ને ખૂબ ખૂબ અનુમોદના*

આજે આ સેવા કાર્ય માં *રાજુભાઇ પિત્રોડા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા*

*જય શ્રીકૃષ્ણ*
*જય જીનેન્દ્ર*

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *