Uncategorized

_જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ જીલામાં ,11 જેટલી ચેક પોસ્ટ ઉપર વગર પાસ પરમીટ અને પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,* કાર્યવાહિ કરી, ધરપકડ કરી

  • _જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ જીલામાં ,11 જેટલી ચેક પોસ્ટ ઉપર વગર પાસ પરમીટ અને પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,* કાર્યવાહિ કરી, ધરપકડ કરી

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_ત્યાર *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વધુ કડક ચેકીંગ હાથ ધરી, વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકો ઉપર ગુન્હાઓ નોંધી, પરત કરવાની કાર્યવાહી કરવા સુચનાઓ* કરવામાં આવેલ છે……_

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 _*જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા નાકાઓ ઉપર પાડોશી જિલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ 11 (અગિયાર) જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તૈનાત કરી, સઘન ચેકીંગ હાથ ધરી, બહારના જિલ્લાઓમાંથી જૂનાગઢ જીલામાં તથા પાડોશી ગીર સોમનાથ જીલ્લામાં વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,* કાર્યવાહિ કરી, ધરપકડ કરી, તમામ વિરુદ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત, *જૂનાગઢ પોલીસ દ્વારા પાડોશી જિલ્લાના ગામડાઓ મા પણ જિલ્લામાં પ્રવેશતા ગામડાના રસ્તાઓ ઉપર પણ પોલીસની પેટ્રોલીંગ ગોઠવી, બહારના જિલ્લામાંથી વગર પાસ પરમીટ થી આવતા લોકોને તથા વાહનોને પકડી પાડવા માટે વ્યવસ્થા* પણ ગોઠવવામાં આવેલ છે….._

💫 __ડી,વાય, એસ, પી, પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં કોરના વાયરસનો એક પણ કેસ ન હોય જૂનાગઢ જિલ્લો સંપૂર્ણ ગ્રીન જોન હોય હાલમાં *પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો અટકેલ હોઈ, જેને જાળવી રાખવા* માટે જૂનાગઢ પોલીસ દ્વારા *ચેક પોસ્ટ ઉપર કરવામાં આવેલ સઘન કાર્યવાહી મા વગર પરવાનગી એ જુનાગઢમાં પ્રવેશ કરવા માંગતા ઘણા વાહનોને જ્યાંથી આવ્યા ત્યાં પરત કરવામાં આવતા, વગર પરવાનગીએ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરવા માંગતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ઉપરાંત, ઘણા લોકોએ જૂનાગઢ આવવાનું માંડી વાળ્યું* હતું.__તેમજ તમામ ચેક પોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, અમદાવાદ, સુરત, રાજકોટ, ધોરાજી, વિગેરે બહારથી જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લામાં આવેલ 37 જેટલા ઈસમો ઉપર 14 જેટલા કલેક્ટરશ્રીના લોક ડાઉનના જાહેરનામા ભાંગના ગુન્હાઓ નોંધી, લોકોને જૂનાગઢમાં પરવાનગી વગર નહીં પ્રવેશવા તાકીદ* કરી, *સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200420-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *