Gujarat

સાવરકુંડલા શહેરમાંથી વહેતી નાવલી નદીનાં પટને હવે ગંદા પાણીનાં શાપથી સંપૂર્ણ દૂર કરો.. સત્તાસ્થાને બેઠેલાં સત્તાધીશો આ નાવલી નદીનો આર્તનાદ સાંભળશે? યોગ્ય પ્લાનીંગ કરીને નદીને રીચાર્જ કરી સતત ખળખળ વહેતા સ્વચ્છ પાણી વહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હવે સપનાંને સાકાર કરો.. લોકો સપનાં જોઈને ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક હતી નાવલી શું ભવિષ્યમાં સાવરકુંડલા શહેરનાં બાળકોને આ ભૌગોલિક સમજ આપવી પડશે.? ખાલી નદીનું પૂજન નહીં તેને રીચાર્જ પણ કરો. સાવરકુંડલા શહેરની નાવલી નદીનાં પટમાં તો ગંદા પાણી વહે અને વળી પાછી શાકમાર્કેટ પણ નાવલીનાં એ પટમાં..હા, કોઈ વખત ચોમાસામાં આ નાવલી નદીનો પ્રકોપ ચરમ સીમાએ પહોંચે ત્યારે પૂર સ્વરૂપે ઘણી તારાજી પણ સર્જે છે. જેનાં મૂળમાં પણ આ નદીનો પટ સતત છીંછરો થતો હોય તેનાં કારણે જ જોવા મળતો હશે. નદીનો સમગ્ર પટ પણ ઊંડો ઉતારવો પડશે. જો કે કામ થોડું મુશ્કેલ છે પણ અસંભવ નથી. રાજકીય ઇચ્છાશક્તિ અને કામગીરી કરવાની હામ હોય તો આ પણ શક્ય બની શકે.હવે વળી રીવર ફ્રન્ટનાં સપનાં જોવાનાં. અરે ભાઈ પહેલાં એ રીવરને તો રીચાર્જ કરીને રીવરમાં વહેતાં ગટરનાં ગંદા પાણીનો કોઈ ઉપાય તો કરો..!! આજે સાવરકુંડલા શહેરને એક સમયનાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડી. કે પટેલની યાદ તો આવે જ છે. આમ તો સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી પછી લગભગ નવ માસ કરતાં વધુ સમય પસાર થયો. ધીંગી બહુમતીથી સત્તા સ્થાને આવેલાં લોકપ્રહરીઓએ સુકાન સંભાળ્યા બાદ હજુસુધી આ નદી સંદર્ભે કોઈ નોંધનીય કામગીરી જોવા મળી રહી નથી. હા, કોઈ કોઈ વાર સફાઈ ઝુંબેશની થોડી ઘણી કામગીરી જોવા મળે છે. પરંતુ એ તો પાશેરામાં પૂણી સમાન હોય ‘ને?
બસ હવે બહુ થયું પ્રજાનો આક્રોશ ચરમ સીમાએ પહોંચે એ પહેલાં યુધ્ધના ધોરણે નાવલી નદીનો પુનરોધ્ધાર થાય અને લોકો પણ શાનથી કહી શકે કે હા, આ અમારી નાવલીનું શહેર સાવરકુંડલા છે.. આમ તો વર્ષોના વર્ષો નાવલી નદી પણ પોતાના પટમાં રહેલી એ ગંદકીને દૂર કરવા બે હાથ જોડીને પોકારી રહી હશે,!! સત્તા સ્થાને બેઠેલાં એ સત્તાધીશોનાં કાને આ નદીનો આર્તનાદ સંભળાય તેવું સમગ્ર સાવરકુંડલા શહેરની જનતા ઈચ્છી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *