ગિરગઢડા
ભરત ગંગદેવ.
મોરબી રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટી ના બહેનો દ્વારા ધૂન મંડળ ચલાવવા મા આવે છે ત્યારે મંડળ ના અગ્રણીઓ વાસંતીબેન પટેલ, કુંવરબેન જારીયા, અંજનાબા ગઢવી, લતાબેન મજીઠીયા, હર્ષાબેન સેજપાલ, હેમલતાબેન કાનાબાર, જયશ્રી બેન કારીયા, વનીતાબેન વાણંદ, મીનાબેન પોપટ દ્વારા ધૂન-ભજન મા મળેલ રકમ નો સદુપયોગ કરવા નુ નિર્ધારીત કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ભજન અને ભોજન નો સુભગ સમન્વય સાધ્યો હતો. લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા ના અનોખા સેવાયજ્ઞ મા સહયોગ આપી સમાજ ને નવી રાહ ચિંધવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, હસુભાઈ પંડિત, નરેશભાઈ ઠક્કર, જયંતભાઈ રાઘુરા સહીતનાઓએ ધર્મનગર સોસાયટી ગોપી મંડળ ના બહેનો ને અભિનંદન સહ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.


