Delhi

કેન્દ્રિય આરોગ્ય સચિવે કહ્યું કે, ખાનગી રસીકરણ કેન્દ્રો બૂસ્ટર ડોઝનો ૧૫૦થી વધુ ચાર્જ ન લેવો જાેઈએ

નવીદિલ્હી
હવે ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો ૧૦ એપ્રિલથી ખાનગી કેન્દ્રોમાં બુસ્ટર લગાવી શકશે. જે નાગરિકોએ ૯ મહિના માટે રસીનો બીજાે ડોઝ મેળવ્યો છે તેઓ પાત્ર બનશે.દેશમાં ભલે કોરોના વાયરસના સંક્રમણના કેસ ઘટી રહ્યા હોય, પરંતુ હવે સરકાર દ્વારા ૧૮ વર્ષથી ૫૯ વર્ષની વયના લોકો માટે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. બૂસ્ટર ડોઝ ૧૦મી એપ્રિલ શરૂ થશે. આ સંદર્ભમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઘણી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોના આરોગ્ય સચિવોને કહ્યું છે કે ખાનગી રસીકરણ કેન્દ્રોએ કોરોના રસીના બૂસ્ટર ડોઝ દરમિયાન ૧૫૦ રૂપિયાથી વધુ ચાર્જ ન લેવો જાેઈએ. ૧૫૦ રૂપિયાની આ મહત્તમ ફી કોરોના રસીની કિંમત કરતાં અલગ હશે. તેણે એ પણ માહિતી આપી છે કે વ્યક્તિને જે રસીનો પ્રથમ અને બીજાે ડોઝ મળ્યો છે, તે જ રસીનો બૂસ્ટર ડોઝ પણ લેશે.બૂસ્ટર ડોઝ માટે કોઈ નવી નોંધણી કરવાની રહેશે નહીં. બૂસ્ટર ડોઝ કોવિન એપ પર પહેલાથી જ કરેલ રજીસ્ટ્રેશન દ્વારા લાગુ કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ-૧૯નો બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા તમામ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ઉપલબ્ધ હશે. તે જ સમયે, વેક્સીન ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે તેની કોવિશિલ્ડ વેક્સીનના બૂસ્ટર ડોઝની કિંમત પાત્ર લોકો માટે ૬૦૦ રૂપિયા પ્રતિ ડોઝ હશે. હાલમાં, દેશમાં વ્યક્તિને કોવિડ રસીના અલગ-અલગ ડોઝ આપવાની મંજૂરી નથી, જેનો અર્થ છે કે બૂસ્ટર ડોઝ એ જ રસીની હશે જે પ્રથમ અને બીજા ડોઝમાં આપવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્‌વટર પર કહ્યું હતું કે, ‘કોરોના સામેની લડાઈ હવે વધુ મજબૂત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *