નવીદિલ્હી
મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસએ રશિયાના આક્રમણ વચ્ચે યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરી છે. ભારત પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ ડિજિટલ કન્ટેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી અમિત દેશમુખે કર્યું હતું. જેની લિંક હવે સ્ેંૐજીની અધિકૃત વેબસાઇટ પર લાઇવ છે અને રસ ધરાવતા વિદ્યાર્થીઓ અહીં નોંધણી કરાવી શકે છે. જણાવવામાં આવ્યું હતું કે, આ ઈ-લર્નિંગ કોર્સ ત્રણ મહિનાનો હશે. દેશમુખે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સ્ેંૐજી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી. રાજ્ય યુનિવર્સિટીએ યુક્રેનથી પાછા ફરતા વિદ્યાર્થીઓ માટે બેડસાઇડ ક્લિનિકલ તાલીમ અને વન-ટુ-વન માર્ગદર્શન આપવાની તેની યોજનાઓની પણ જાહેરાત કરી. આ પ્રસંગે બોલતા, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માધુરી કાનિટકરે જણાવ્યું હતું કે “ડિજિટલ સામગ્રી માત્ર શરૂઆત છે કારણ કે, સ્ેંૐજી યુક્રેનથી ઘરે પરત ફરેલા તબીબી વિદ્યાર્થીઓને પાલક સંભાળના સ્વરૂપમાં વધુ સુવિધાઓ પ્રદાન કરવાની યોજના ધરાવે છે, કારણ કે સ્ેંૐજી તેના પોતાના અનુસ્નાતક (ઁય્)ની સ્થાપના કરે છે. અમારી પાસે લાયકાત ધરાવતા નિષ્ણાત ફેકલ્ટી છે. હાલમાં, તેમને વર્કશોપના રૂપમાં પ્રાયોગિક બેડસાઇડ ક્લિનિક ડિઝાઇન કરવાની જવાબદારી આપવામાં આવી છે. કાનિટકરે વધુમાં જણાવ્યું હતું કે, એકવાર વિષયવાર મોડ્યુલ તૈયાર થઈ જાય, રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના માટે નોંધણી કરાવી શકશે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ મોડ્યુલ સ્ેંૐજી ફેકલ્ટીઓ સાથે, નાસિકની અમારી સિવિલ હોસ્પિટલમાં સારી રીતે કામ કરશે. કાનિટકરે કહ્યું કે, મેં અમારી સરકારી મેડિકલ કોલેજાેના ૪૨ ડીન તેમજ સ્ેંૐજી સાથે સંલગ્ન અન્ય લોકો સાથે વાત કરી છે, જેનો ઉદ્દેશ્ય છે કે, ઉનાળાના વેકેશન દરમિયાન તેઓ પોતાના ફેકલ્ટીની મદદથી આવા મોડ્યુલ ચલાવી શકે. વાઇસ ચાન્સેલર માધુરી કાનિટકરે જણાવ્યું હતું કે, ઁય્ સંસ્થામાં સમાન ફેકલ્ટી યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગનું ઓનલાઈન ફોરમ સ્થાપવાનું પણ કામ કરશે, જે તેમના પ્રશ્નોના આધારે વન-ટુ-વનના આધારે માર્ગદર્શન આપશે. સ્ેંૐજી અપેક્ષા રાખે છે કે, વધુ વિદ્યાર્થીઓ તેમના માટે ઓફર કરવામાં આવતી વધારાની સેવાઓ વિશે જાણ્યા પછી ડિજિટલ કન્ટેન્ટ માટે નોંધણી કરે. કાનિટકરે સમજાવ્યું કે, યુક્રેનમાં તબીબી વિદ્યાર્થીઓ જે અભ્યાસક્રમ અનુસરે છે તેની તપાસ કર્યા પછી, એવું સ્થાપિત થયું કે આ વિદ્યાર્થીઓ ભારતીય તબીબી શિક્ષણ પ્રણાલીમાં સમાઈ જવાની કોઈ શક્યતા નથી. તેથી, યુક્રેનમાં અનુસરવામાં આવતા અભ્યાસક્રમના આધારે ત્રણ મહિનાનો ઈ-લર્નિંગ કોર્સ બનાવવામાં આવ્યો છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ હવે કોર્સ માટે નોંધણી કરાવી શકે છે જેમાં ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મેટમાં ટ્યુટોરિયલ્સ હશે અને ત્યારબાદ સ્વ-મૂલ્યાંકન પરીક્ષણો હશે.


