જૂનાગઢની જમાલવાડી ઝૂપડપટ્ટીમાં રહેતા અમીન મહમદભાઈ હમદાની કહે છે કે, “હું મજૂરી કામ કરીને પેટિયું રડું છું. મારા ઝૂંપડામાં લાઈટ ન હતી. ઘરમાં તેલના દીવા કે મીણબત્તી કરીને અમે પરિવાર સાથે રહેતા હતા. એવા વિકટ સંજોગોમાં મને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં આપવામાં આવ્યું છે. જેના કોઈ પૈસા મારી પાસેથી લેવામાં આવ્યા નથી. મારા ઘરમાં વિનામૂલ્યે અંધારામાંથી અજવાળા થયા છે. જેથી હવે મારા બાળકો રાત્રે પણ અભ્યાસ કરી શકશે”

