સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ અને સાવરકુંડલા શહેરનાં ગૌરવ સમા શ્રી કરશનભાઈ ડોબરીયાની શ્રી ખોડલધામ સમાધાન પંચ સાવરકુંડલા તાલુકાના પ્રમુખ પદે વરણી થતાં શ્રી કરશનભાઈ ડોબરીયાને માનવમંદિરનાં સંત શ્રી ભક્તિરામ બાપુ તેમજ લાયન્સ કલબના ડીસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયા, વિધાનસભા સંચાલક પટેલ સાહેબ, ભરતભાઈ સકરાણી, દિપકભાઈ બોઘરા દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. આ બદલ કરશનભાઈ ડોબરીયાએ પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


