Gujarat

આજની પેઢીએ આવનારી પેઢી માટે જમીનની ફળદ્રુપતા ટકાવવી જરૂરી ઃ સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ

જામનગર
ભૂમિ બચાવો અભિયાનના પ્રણેતા સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ રવિવારે પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા. અહીં શહેરના નગરજનો તરફથી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતુ કે, “દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું.” આ પ્રસંગે જીટ્ઠદૃી ર્જીૈઙ્મ એટલે કે ‘ભૂમિ બચાવો’ અભિયાન વિશે જણાવતા કહ્યુ કે, “તેમનું સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ચાર અબજ લોકો સુધી પહોંચી, આ અભિયાનમાં જાેડવાનો છે. હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ. આજે દુનિયામાં ૨૭,૦૦૦ જેટલી પ્રજાતિઓ પર જાેખમ ઊભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જાે આપણે અત્યારે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે ૪૦% ફળોનું ઉત્પાદન ઘટ્યું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસેને દિવસે ગુમાવી રહી છે.” તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, “આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તી હજુ પણ વધતી જ રહેવાની છે. આજથી જ જાગૃત બની આપણે સૌ જમીનની જાળવણી નહીં કરીએ તો આવનારી પેઢીએ એના ગંભીર પરિણામો ભોગવવાના રહેશે. એકતાબા સોઢા સાથે વિચાર ગોષ્ઠિ દરમિયાન સદગુરુએ જણાવ્યું કે, જમીનને બચાવવી ખૂબ જ અગત્યની છે. જમીન હશે તો જ આપણે બચીશું. સતત રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી કિંમતી જમીન બગડી રહી છે. આજે સાતથી વધુ દેશોએ સેવ સોઈલ એટલે કે જમીન બચાવો અભિયાન માટે સહી કરી છે.” ગાય સહિતના પ્રાણીઓને બચાવવા જરૂરી ઃ દુનિયામાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓથી આપણું જીવન ટકી શકશે. લોકો અત્યારે વધુને વધુ ખાતર નાંખીને જમીનમાંથી ઉપજ મેળવે છે. જાે ઓછું ખાતર નાખીશું તો પણ ઉપજ નહિ મળે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ બહુ સામાન્ય સમજણની વાત છે. આજે ગંગાના મેદાનોમાં ૯૨% વૃક્ષો સાફ કરી નાખ્યા છે. પ્રાણીઓ કતલખાનામાં જાય છે. પ્રાણીઓ વિના આપણું જીવન જ શક્ય નથી. તેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાય સહિતના પ્રાણીઓને પણ બચાવવી એટલા જ જરૂરી છે. આ પ્રસંગે પ્રતાપ વિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

India-Gujarat-Jamnagar-Sadhguru-Jaggi-Vasudev-Says-Todays-generation-needs-to-maintain-soil-fertility-for-a-bright-future-for-future-generations.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *