Gujarat

ઇતીહાસમાં પ્રથમવાર અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત

સમરસ કાવડ યાત્રા ૨૦૨૨* અંતર્ગત હરિદ્વારથી પવિત્ર ગંગાજળ યાત્રા રાજપીપળા ખાતે પહોંચી હતી. કાવડ યાત્રા માટે હરિદ્વાર થી ગંગાજળ લાવવામાં આવ્યું છે. ગુજરાત ની 182 વિધાનસભાના મુખ્ય મથકો પર આજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે અખીલ ભારતીય સંત સમીતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ.સદ્.શા શ્રી નૌતમ સ્વામીજી નાં ઉંમદા વીચારથી સફળ થઇ છે,પવિત્ર ગંગાજળથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં * પૌરાણીક ભગવાન વૈદનાથ મહાદેવ* નો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ તકે નર્મદા જિલ્લા અખિલ ભારતીય સ.સમિતિ પ્રમુખ * શ્રી સીધ્ધેશ્વર સ્વામી* નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ,મહામંત્રી શ્રી નીલભાઈ રાવ,રાજપીપળા નગર સેવા સદનનાં યુવા પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ,મહિલા આગેવાન ભારતીબેન તડવી,પુર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ વસાવા,વી.એચ.પી પ્રમુખ અજીતસિંહ રાઠોડ વિવધ સંતો મહંતો.રાજપીપળા શહેર ના શ્રેષ્ઠીઓ* ,રાજપીપળા શહેર ભાજપના હોદેદારો*રાજપીપળા તાલુકા ભાજપ ના હોદેદારો.નગરપાલિકા ના સભ્ય શ્રીઓ. રાજપીપળા વેપારી મંડળ ના આગેવાનો.એગ્રો એસોસિએશન ના હોદેદારો.અમરેલી શહેર ના નગરજનો.તેમજ વિવિધ સેવાકીય સંગઠનો. તેમજ, હિન્દુ ધર્મ સેનાના જીલ્લા મહામંત્રી ધ્રુવભાઈ પટેલ,જીલ્લા કન્વીનરશ્રી પ્રતીકભાઈ પટેલ(એડવોકેટ),નાંદોદ તાલુકા પ્રમુખ સંદીપભાઈ પટેલ શહેર પ્રમુખ સાગરભાઈ ભટ્ટ,શહેર મહામંત્રી હેત પટેલ,જિલ્લાના હોદેદારો તેમજ રાજપીપળા શહેર અને તાલુકા ના હોદેદારો તેમજ  આગેવાનો અને મંદિરનાં પૂજારીશ્રી કૌશીકભાઈ ભટ્ટ સાથે જોડાયેલ હતા.

IMG-20220827-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *