Gujarat

ગીરગઢડાના ખીલાવડ- ઘોકડવા ગામેથી નીકળતો અતિ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે નવિનીકરણ કરવા માંગ..

ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.

ગીરગઢડા થી ખીલાવડ–ધોકડવા ગામનો મુખ્ય રસ્તો ૨૦ ગામોને જોડતો રસ્તો પસાર થાય છે. આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે. પરંતુ કુંભકર્ણની જેમ તંત્ર પણ ઉંઘમાં હોય તેવો ઘાટ સર્જાયેલ હોય તેમજ ગીરગઢડા તાલુકાની જનતાને પ્રાથમીક સુવીધાથી પણ વંચીત રાખવામા આવી રહયા છે. આ રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેર તેમજ નવો રસ્તો બનાવવામાં આવે તેવી ગીરગઢડા તાલુકાના ૨૦ ગામોની જનતાની માંગણી છે. આમ આ રસ્તા માટે યોગ્ય કાર્યવાહી કરી રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં નહિ આવે તો ગીરગઢડા તાલુકાના લોકોને સાથે રાખી આવનારા દિવસોમાં ગાંધી ચીન્ધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી રજૂઆત કરી હતી.

 

 

ગીરગઢડાના-ખીલાવડ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *