છોટાઉદેપુર જિલ્લા નાં બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ ના વતની અને છેલ્લા ૧૯ વર્ષ થી ઈંડિયન આર્મી માં હવાલદાર તરીકે ફરજ બજાવતા તુલસીભાઈ બારીયા નું ૧૩ મી માર્ચે જમ્મુ કાશ્મીર નાં કૂપવાડા જિલ્લા નાં કાલારુસ ક્ષેત્રમાં પોતાની ફરજ દરમ્યાન અકસ્માત સર્જાતા વીર ગતિ પામ્યા હતા, શહીદ જવાનના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી એ જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર તરફથી રુપિયા ૫૦૦૦૦/- નો ચેક આપી ને આર્થિક મદદ કરી હતી અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા એ શહીદ નાં પરિવાર ને સરકાર તેમજ વિસ્તારના અન્ય રાજકીય પદાધિકારીઓ પણ આર્થિક મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ તેઓ વધુ માં જણાવ્યું હતું કે શહીદ જવાન તુલસીભાઈ બારીયા નાં પરિવાર માં થી ૧ વ્યક્તિ ને સરકારી નોકરી આપવામાં આવે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


