કલેક્ટર શ્રી રચિત રાજે પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે હરિપુરના ગ્રામજનો સાથે સવિશેષ વાર્તાલાપ કર્યો હતો. પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોએ પણ ઉત્સાહ સાથે પ્રાકૃતિક ખેતિથી થતી પેદાશો-ઉત્પાદનો અંગેના અનુભવો વ્યક્ત કર્યા હતા. સાથે જ પ્રાકૃતિક ખેતિના અભિયાનમાં વધુ ખેડૂતોને જોડવાનો સંકલ્પ પણ કર્યો હતો. હાલમાં હરિપુર ગામે ૨૨ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ખેતિ કરી રહ્યા છે. આ તકે કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતિની ગુણાત્મક અને પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.
