રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત રાજ્ય નાટય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ કઠલાલ તાલુકાના ભાટેરા ખાતે યોજાયો.ભાટેરા માં આવેલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં આવેલ કલાકાર કાન્તીભાઈ કે .બારોટ અને તેમના સાથી કલાકારો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રસાર પ્રચાર કરાયો હતો અને ગ્રામજનો ને સરસ રીતે સમજૂતી આપી હતી ઉપરાંત રમત સાથે ગમત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જયારે આવો કાર્યક્રમ અવાર નવાર યોજાય તેવી શુભેચ્છાઓ કલાકારો ને અપાઈ હતી.


