સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ગઈકાલે બુધવારે વિક્રમજનક ૧૭૦૦૦ મણ ચણાની આવક હરરાજીમાં વેચાણ માટે આવેલ છે. જેની જાહેર હરરાજીમાં એકમણ નો ભાવ રૂા.૯૦૦/- તથા દેશી ચણાં નો રૂા.૧૦૩૦/- સુઘી ઉચાં ભાવો બોલાયા હતાં. સાવરકુંડલા એ.પી.એમ.સી.માં ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, વા.ચેરમેનશ્રી મનજીભાઇ તળાવીયા અને બોર્ડના માર્ગદર્શન નીચે ખેડુતો માટે સરસ વ્યવસ્થા અને સંચાલન થઇ રહયુ છે. જેના કારણે વેપારીઓ અને ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમ આસી.સેક્રેટરીશ્રી મુકેશભાઇ ત્રીવેદીની યાદી જણાવે છે.
|
ReplyForward
|
