Gujarat

સુખનો પડછાયો

એક રાણી એકવાર પોતાના ગળાના કિંમતી હીરાના હારને કાઢીને ખુંટી ઉપર લટકાવી રહી હતી ત્યાં જ એક બાજ પક્ષી આવે છે અને તે હારને લઇને ઉડી જાય છે.ચમકતા હીરાને જોઇને બાજ પક્ષીએ વિચાર્યું કે કોઇ ખાવાની ચીજ હશે.હાર લઇને બાજ એક વૃક્ષ ઉપર બેસે છે અને ખાવા જાય છે તો કઠોર હીરાથી તેને મોંઢામાં ઘણું જ દર્દ થાય છે.બાજ સમજી ગયો કે આ કોઇ ખાવાની ચીજ નથી એટલે હારને તે વૃક્ષની ડાળી ઉપર છોડીને જતો રહે છે.

રાણીને આ રત્નજડીત હાર પ્રાણથી પણ વધુ પ્રિય હતો.રાણીએ રાજાને કહી દીધું કે ગમે તે રીતે મારા હારને શોધીને લાવો અને જ્યાંસુધી મારો હાર નહી મળે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરૂં છું. રાજાએ તેવો જ બીજો હાર બનાવી આપવા કહ્યું છતાં રાણી પોતાની જીદ ઉપર અડગ હતી કે મારે તો એ જ હાર જોઇએ.નગરના તમામ નરનારી તથા સૈનિકોને હાર શોધવાના કામે લગાવ્યા પરંતુ હાર મળતો નથી.રાણી કોપભવનમાં જતી રહે છે.છેલ્લે હારીને રાજાએ નગરમાં જાહેરાત કરી કે જે રાણીનો હાર શોધી લાવશે તેને અડધું રાજ્ય આપવામાં આવશે.હવે તો હારને શોધવાની હરીફાઇ ચાલી.રાજ્યના અધિકારી અને તમામ પ્રજા અડધા રાજ્યની લાલચમાં હાર શોધવા લાગ્યા.

અચાનક એક દિવસ એક વૃક્ષની નીચેના ગંદા પાણીના નાળામાં હાર જોવા મળ્યો.નાળામાં હાર દેખાતો હતો પરંતુ તે નાળાનું પાણી દૂષિત હોવાથી દુર્ગંધ આવતી હતી છતાં અડધા રાજ્યની લાલચમાં એક સિપાઇ તે નાળામાં છલાંગ લગાવી નાળામાં પડે છે.ઘણી શોધખોળ કરવા છતાં હાર મળતો નથી. ફરીથી નાળામાં હાર દેખાય છે તેને જોઇને સેનાપતિ નાળામાં કૂદે છે.આ જોઇને કેટલાક નવયુવાનો અને સિપાઇઓ નાળામાં કૂદી પડે છે ઘણું મંથન કરવા છતાં કોઇને હાર મળતો નથી.

બહારથી જોવામાં આવે તો નાળાના પાણીમાં હાર દેખાય છે અને તેને પકડવા કોઇ કૂદે છે તો હાર દેખાતો બંધ થઇ જાય છે.અડધા રાજ્યની લાલચમાં મોટા મોટા જ્ઞાની,રાજાના પ્રધાનમંત્રી અને તમામ નગરજનોએ હાર શોધવા નાળામાં ઝંપલાવ્યું અને અંદરોઅંદર હાર શોધવા લડી રહ્યા હતા.રાજાને ખબર મળી કે તમામ નગરજનોએ હાર શોધવા નાળામાં ઝંપલાવ્યું છે એટલે અડધું રાજ્ય ના આપવું પડે એટલે રાજા પોતે આવીને નાળામાં જુવે છે તો હાર દેખાય છે એટલે રાજા પણ ગંદા નાળામાં હાર શોધવા ભૂસકો મારે છે.રાજા જેવા નાળામાં પડે છે તેવો જ હાર અદ્રશ્ય થઇ જાય છે.

એક સંત ત્યાંથી પસાર થાય છે અને રાજા પ્રજા મંત્રી સિપાઇ..તમામને કિચડમાં જોઇને સંતને નવાઇ લાગે છે.સંતે પુછ્યું કે આ ગંદા નાળામાં પડવાની કોઇ પરંપરા છે? ત્યારે લોકો સમગ્ર હકીકતથી સંતને માહિતગાર કરે છે.સંત સાંભળીને હસવા લાગ્યા.ભાઇ..કોઇએ નાળાની ઉપરના વૃક્ષની ડાળી ઉપર તો જોયું જ નથી.હાર તો વૃક્ષની ડાળી ઉપર લટકી રહ્યો છે.નીચે નાળાના પાણીમાં તો તમોને હારનો પડછાયો દેખાય છે.રાજા પણ તમામની ભૂલ બદલ શરમ અનુભવે છે.

આપણે બધા પણ આ રાજા અને રાજ્યના લોકોની જેમ જ વર્તાવ કરી રહ્યા છીએ.અમે જે સાંસારીક ચીજવસ્તુઓમાં સુખ-શાંતિ અને આનંદ શોધી રહ્યા છીએ તે હારની જેમ ક્ષણિક સુખોના રૂપે પડછાયાની જેમ દેખાય છે.અમે ભ્રમમાં રહીએ છીએ કે અમુક ચીજવસ્તુઓ મળી જાય તો જીવન બદલાઇ જશે,બધું સારૂં થશે પરંતુ આ સિલસિલો તો અંતહીન છે.તન મન ધન અને તમામ સાંસારીક પદાર્થો સંપૂર્ણ સુખ આપી શકતા નથી.સુખ-શાંતિ અને આનંદ હીરાના હારના પડછાયા સમાન છે,તે પ્રભુ પરમાત્માને જાણીને તેમાં લીન થયા પછી જ મળે છે.

ફક્ત ધનથી જ સુખ પ્રાપ્ત થતું નથી પરંતુ ધન જ દુઃખનું કારણ છે.વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે.પ્રભુ ૫રમાત્માની ભક્તિ સિવાય બીજા કોઇ માર્ગે સુખ મળવું અશક્ય છે.વિષયોનું આકર્ષણ અત્યંત પ્રબળ છે.પ્રત્યેક વ્યક્તિ સુખ સુવિધાઓવાળું જીવન જીવવા ઇચ્છે છે.તેમની ઇચ્છાઓ અનંત છે જેની પૂર્તિ કરવા માટે તે અનેક મુસિબતોમાં ફસાય જાય છે અને તેને આત્મસાક્ષાત્કાર કરવાનો માર્ગ સુઝતો નથી.માનવ જન્મ દુર્લભ છે તેને વિષય ભોગોમાં નષ્ટ ના કરવો.

સાચી સમજ,સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છેસુખ પ્રાપ્ત થાય છે.જે સ્થિતિમાં મુકાયા હોઇએ તેમાં સંતોષ માનવાથી જ સુખ મળે છે.કોઇ કોઇને સુખ કે દુઃખ આપતું નથી,તમામ મનુષ્ય પોતાના કર્મ અનુસાર ફળ પામે છે.

જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.સંસારમાં કોઇ૫ણ મનુષ્યને કોઇ૫ણ પ્રકારનું સુખ પ્રાપ્ત  થાય છે તો તે એમ જ સમજે છે કેઃ બસ ! હું જ સુખી બનેલો રહું અથવા મારો ૫રીવાર જ સુખી રહે ! ૫રંતુ ભક્તના હ્રદયમાં આવી ભાવના હોતી નથી.ભક્ત સમગ્ર સંસારના માટે સુખોની કામના કરે છે.ભક્તના હ્રદયમાં એવી ભાવના હોય છે કેઃ જેવી રીતે મેં આ આત્મિક સુખને મેળવ્યું છે.આ આત્મિક સુખ સંસારમાં વસનાર તમામ પ્રાણીઓ ૫ણ મેળવે.આ આત્મિક સુખ ૫રમાત્માને જાણવાથી જ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ માનવને દરેક જગ્યાએ એક ૫રમાત્માનું નૂર જ નજરમાં આવે છે તથા વૈર વિરોધની,નફરતની ભાવના આપોઆપ દૂર થાય છે. માનવમાત્રને સુખી જોવાની સંતોમાં અદમ્ય અભિલાષા હોય છે.સંતોનું કર્મ જ એ હોય છે કે તમામને મૂળ સત્ય(૫રમાત્મા)ની સાથે જોડવામાં આવે.

ભક્ત સુખ-દુઃખની પ્રાપ્તિમાં સમાન રહે છે એટલે કે અનુકૂળતા-પ્રતિકૂળતા તેમના હ્રદયમાં રાગ-દ્વેષ..હર્ષ-શોક વગેરે પેદા કરી શકતાં નથી.અનુકૂળ-પ્રતિકૂળ ૫રિસ્થિતિ આવતાં પોતાનામાં હર્ષ-શોક વગેરે વિકારો ના આવવા જોઇએ કારણ કે સુખ જેને મોકલ્યું છે તેને જ દુઃખ મોકલ્યું છે.સુખ ૫ણ શિવ અને દુઃખ ૫ણ શિવ (કલ્યાણ) છે.

ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય છતાં જેના મનની સ્થિતિ એકરસ રહે તે ભક્ત..! અજ્ઞાની મનુષ્યને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખમાં દ્વેષ થાય છે એટલે કે તેનો શોક કરે છે ૫ણ જ્ઞાની ભક્તનો સુખ-દુઃખમાં સમભાવ હોવાથી કોઇ૫ણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ શોક વગેરે વિકારો આવતા નથી.જેવી રીતે ૫ગમાં જોડા ૫હેરીને ચાલવાવાળાને કાંકરા અને કાંટાનો કોઇ ભય હોતો નથી તેવી જ રીતે જેના મનમાં સંતોષ છે તેના માટે હંમેશાં બધી જગ્યાએ સુખને સુખ જ છે..દુઃખ છે જ નહી ! ભક્તોને મન બધી ભૌતિક વસ્તુઓની કિંમત હોતી નથી અને યોગ્ય સમયે તે મને મળશે તેની તેમને ખાત્રી હોય છે તેથી તે સંતુષ્ટ  રહેતા હોય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *