Gujarat

અમરેલી જીલ્લા માં શેત્રુંજી નદી તેમજ અન્ય નદીની રેતી લોકોને સસ્તા ભાવે રોયલ્ટી ભરી રેતી  મળી રહે તે માટે  આવેદનપત્ર આપતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત અને સાવરકુંડલા કોંગ્રેસ ટીમ

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ઘણા વર્ષોથી રેતી માટેની મોટી સમસ્યા સર્જાયેલ છે. જેમાં ભૂ-માફિયાઓ દ્વારા જેતે વિસ્તારની નદીના પટોમાંથી ગેરકાયદેસર રેતી ખન્ન થઇ રહી છે, અને બારોબાર  આવા લેભાગુ તત્વો દ્વારા રેતીના ઉચા ભાવો સામાન્ય લોકો પાસેથી લઈને આપી રહ્યા છે. જેના કારણે આવી રેતી ચોરી થતા સરકારશ્રી ને કોઈ આવક ઉત્પન થતી નથી, અને સામાન્ય લોકો મોટી રકમ ચૂકવીને પરેશાન થઇ રહ્યા છે. થોડા સમય પહેલાના  વાવાઝોડા દરમ્યાન અમરેલી જીલ્લામાં ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે, જેમાં આમ સામાન્ય લોકોના મકાનો ધરાસાઈ થયેલ છે, જેમના મકાનો બનાવવા માટે રેતીના ભાવો આસમાને પહોચ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો મકાનો બનાવી શકે તેવી હાલ સ્થિતિ રહી નથી, તેમજ કડિયા સમાજ આ ધંધા સાથે સંકળાયેલ હોય તેમની સ્થિતિ હાલ બેરોજગાર જેવી છે. ત્યારે ભૂ-માફિયાઓ દ્વારા એક ટ્રેક્ટર દીઠ ૮૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા લઇ રહી છે જે પણ સરકારશ્રીને રોયલ્ટી ભર્યા વગર સીધે સીધી આમ જનતાને વહેચી રહી છે, જેના કારણે સરકાર શ્રીની તિજોરી માં કોઈ આવક નથી થતી અને ઉલટાનું આમ જનતા આવા લેભાગુ તત્વો મોટી રકમ પડાવી ને આમ જનતા પીસાઈ રહી છે
  ત્યારે ધારાસભ્યશ્રી  પ્રતાપ દુધાત તથા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતને વખોડમાં આવેલ છે અને સરકાર પાસે માંગણી કરવામાં આવેલ છે કે પ્રજાના હિત માટે સરકારશ્રી દ્વારા રોયલ્ટી પાસ આપે અથવા તો જેતે વિસ્તારમાં રેતી માટેના બ્લોક પાડવામાં આવે તો સરકારશ્રી તેમજ આમ જનતાને તેમાં ફાયદો થાય તેમ છે. જેથી આજરોજ તમામ સાવરકુંડલા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર પાઠવીને  સરકારશ્રીને ધ્યાન દોરીને સરકારશ્રીના હિત અને અને આમ જનતાને સસ્તા દરે રેતી મળી રહે તે માટે આજુબાજુની નદીઓમાંથી બ્લોક પાડવામાં આવે અથવા તો રોયલ્ટી પાસ થી રેતી આપવામાં આવે જેથી આમ જનતાને પોતાના મકાનો અથવા તો અન્ય બાંધકામ કરી શકે જે અન્વયે આ આવેદનપત્ર મારફતની રજૂઆત પાઠવામાં આવે છે જેમાં ધારાસભ્ય શ્રી સાથે સાવરકુંડલા શહેર પ્રમુખ શ્રી કનુભાઈ ડોડીયા,તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, હિતેશભાઈ જયાણી, નાશીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, તેમજ , જસુભાઇ ખુમાણ, ભરતભાઈ ગીડા, ભૌતીક્ભાઈ સુહાગીયા, મુન્નાભાઈ ડાભી, વિનુભાઈ ગુંદરણીયા, અશ્વિનભાઈ ધામેલીયા,  વગેરે સાથે રહીને આવેદનપત્ર પાઠવેલ હતું.

IMG-20220222-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *