જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણદળમાં કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુસર ઓક્ટોબર-૨૦૨૨માં રાજકોટ ખાતે યોજાયેલ થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની અસરકારક અને સઘન પૂર્વ તૈયારી થઈ શકે તેવા હેતુસર આયોજિત થનાર ૧૫ દિવસીય તાલીમ વર્ગની અવધિ લંબાવવામાં આવી છે. જેમાં લેખિત કસોટીની પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન તેમજ સંદર્ભ સાહિત્ય આપવામાં આવશે.
તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતેના નામ નોંધણી કાર્ડની નકલ અને થલસેના ભરતી કાર્યાલય દ્વારા મેળવેલ એડમીટ કાર્ડની નકલ કચેરીના વોટ્સએપ નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯પર કે ઈ-મેલ-dee-jun@gujarat.gov.in મારફત અથવા રૂબરૂમાં તા.૩૦/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી–જૂનાગઢ ખાતે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી–જૂનાગઢના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
