મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના બદરપુર ખાતે રામદેવજી મંદિરે પાઠ અને નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.ખલાલ થી બદરપુર સુધી ગ્રામજનો અને યુવકો દ્વારા નેજા સાથે શોભાયાત્રા યોજી મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો,યુવક મંડળના સભ્યો તેમજ જશુભાઈ ચૌહાણ ,વિષ્ણુભાઈ ચૌહાણ,સરપંચ જશુભાઈ ઝાલા,ઉપસરપંચ ગુલાબસિંહ ગોહિલ સભ્ય રણજીતસિંહ ચૌહાણ,બંસીલાલ પ્રજાપતિ તથા મહિલા મંડળ ની બહેનો જોડાઈ હતી.

