Gujarat

 ગીર સોમનાથ વન્યજીવો અને  ગીરનાં જંગલ વિશે સાચી માહિતી લોકો સુધી પહોંચાડતું નાટક અહેવાલ  : સોની યોગેશ સતીકુંવર વેરાવળ

*આગાખાન એજન્સી ફોર હેબીટાટ ઇન્ડીયા – ચિત્રાવડ (ગીર), તા – તાલાલા , જી – ગીર સોમનાથ*  *પુષ્પાંજલિ સંસ્થા* દ્વારા વન્યજીવો નું સંરક્ષણ અને પર્યાવરણીય સુધારણા પ્રોજેક્ટનાં ભાગ રૂપે ગીર ની જનતા ને વન્યજીવો અને ગીરનાં જંગલ વિશે સાચી માહિતી લોકો સુધી પહોંચાડતું નાટક  *જ્યાં વસે વીર એ આપણું ગીર* તાલાલા તાલુકાનાં આજુબાજુ નાં જંગલ વિસ્તારના દસ ગામોમાં જેવાકે સંગોદ્રા , ચિત્રાવડ , હિરણવેલ , કાત્રાસા , અમરાપુર(કાઠિનાં), ભાલછેલ , ભેરાળા , જલંધર , દેવગામ , અમરાપુર(સરકારી) જેવા ગામો માં નાટકો ભજવ્યાં હતા .
           આ નાટક નાં લેખક  અક્ષય પટેલ , દિગ્દર્શક  આશિષ ગાંધી , નિર્માત્રી રેખા ગાંધી અને કલાકારો આશિષ ગાંધી ,  પ્રણવ ભાટિયા , આકાશ ચાવડા , અર્ચના સોનાંવલે , ધીરજ પુરાણી , નિધિ દવે , સંજય સંઘવી ,
           આ કાર્યક્રમ માં  આગાખાન સંસ્થા નાં શ્રી હરસુખભાઈ સોલંકી સાહેબ ,  શ્રી મનસુખભાઈ સાહેબ , શ્રી મલીકભાઈ સાહેબ , શ્રી અરવિંદભાઈ મેર સાહેબ ઉઝવલ ભારત ન્યુઝ ચેનલ ના બ્યુરો ચીફ મહેશભાઈ વાંજા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને સોની યોગેશ ભાઈ પી સતીકુંવર સહીત  , શ્રીમતી રમીલાબેન વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું

IMG-20220427-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *