મકસુદ કારીગર,કઠલાલ
શેઠ એમ આર હાઈસ્કૂલ માં વિદ્યાર્થી વેકેશનમાં અભ્યાસ કરે તે માટે હાલ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. તે સમયે પાઠ્યપુસ્તક તરફથી મળેલ પુસ્તકોના ધોરણ વાઇઝ સેટ બનાવી વિદ્યાર્થીઓને વેકેશનના સમયગાળામાં આગળના ધોરણનો અભ્યાસ કરી શકે તે માટે પુસ્તકો આપવામાં આવ્યા. શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલ ના જણાવ્યા મુજબ આજે ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓને ધોરણ 12ના પુસ્તકો આપવામાં આવેલ છે. અને દરરોજ અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં આવશે. શાળામાં સાથે મફત ચોપડા પણ આપવામાં આવશે.


