મુંબઈ
બોમ્બે હાઈકોર્ટે રેલવે મુસાફરોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. વાસ્તવમાં, હાઈકોર્ટે કહ્યું કે લોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન છે, જાે કોઈ યાત્રી ભીડભાડવાળી ટ્રેનમાં ચડતી વખતે પડીને ઈજાગ્રસ્ત થાય છે તો તે અપ્રિય ઘટનાના દાયરામાં આવશે અને તેની કિંમત રેલવેએ ચૂકવવી પડશે. આદેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે પશ્ચિમ રેલવેને ૭૫ વર્ષના એક વ્યક્તિને ૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હકીકતમાં, ભીડભાડવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, વૃદ્ધ પડી ગયો હતો અને તેના પગમાં ઈજા થઈ હતી. આ મામલામાં દલીલ કરતાં પશ્ચિમ રેલ્વેએ હાઈકોર્ટને કહ્યું હતું કે આ બાબત કાયદાની કલમ ૧૨૪ (છ)ની જાેગવાઈઓ હેઠળ આવતી નથી. રેલવેએ જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે તે અકસ્માતનો શિકાર બન્યો હતો. તે રેલવે દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરતો ન હતો. આ કારણોસર તેમને વળતર આપવું યોગ્ય નથી. રેલવેની દલીલને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે કાયદાની કલમ ૧૨૪ (છ)ની જાેગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. આ કલમ હેઠળ કોઈપણ પીડિતને વળતર આપવાનું કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે ટ્રેનોમાં ભીડ હોવાને કારણે મુસાફરો ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુકી કરે છે. આવી સ્થિતિમાં, જાે કોઈ મુસાફર ટ્રેનમાંથી પડીને ઘાયલ થાય છે, તો તેને વળતર મળવું જાેઈએ.
