Maharashtra

ટેલિવિઝનનો લોકપ્રિય શો કુંડલી ભાગ્યનો ધીરજે શા છોડી દીધો

મુંબઈ
ટીવીના લોકપ્રિય શો ‘કુંડળી ભાગ્ય’ ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી ધીરજ ધૂપરે શો છોડી દીધો હોવાની ચર્ચા હતી. પરંતુ હંમેશા આવા સમાચારોને અફવા તરીકે ગણવામાં આવતી હતી. એક રિપોર્ટ અનુસાર, ‘કુંડળી ભાગ્ય’માં કરણ લુથરાની ભૂમિકા ભજવનાર ધીરજે આ શોને અલવિદા કહી દીધું હોવાની પુષ્ટિ થઈ છે. ધીરજે શોને અલવિદા કર્યું ‘કુંડલી ભાગ્ય’ એ ટેલિવિઝનનો લોકપ્રિય શો છે, જેમાં કરણ લુથરાની ભૂમિકા ભજવીને ધીરજે ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી છે. હવે પાંચ વર્ષ પછી ધીરજે શો છોડવાનો ર્નિણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. ધીરજે કહ્યું કે મેકર્સ સાથે વાત કર્યા પછી તેણે શોમાંથી બહાર નીકળવવાનો ર્નિણય કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘કુંડળી ભાગ્ય’ને કારણે તેને નામ, ખ્યાતિ અને સ્ટારડમ મળ્યું છે. તેને તેના પાત્ર માટે પણ ઘણો પ્રેમ હતો. પરંતુ શોમાંથી આગળ વધવું એ સ્ક્રિપ્ટ અને સમયની જરૂરિયાત હતી, જેના કારણે તેણે વાતચીત પછી શોને અલવિદા કહી દીધું છે. શો છોડવાની સાથે ધીરજ ધૂપરે શોના નિર્માતા એકતા કપૂરનો પણ આભાર માન્યો છે. હું પોતે માની શકતો નથી કે મેં શો છોડી દીધો છે. તે વાસ્તવિક જીવનમાં કુંડળી ભાગ્યના કરણ જેવો છે. એટલા માટે એ ક્યારેય શક્ય નથી કે તે પોતાના પાત્ર (કરણ)થી દૂર રહી શકે. ધીરજના જણાવ્યા પ્રમાણે, તેણે ભારે હૃદય સાથે શો છોડી દીધો છે, પરંતુ આ તે સમય છે જ્યારે તે તેની નવી સફર શરૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *