International

ચીનમાં ઈસ્લામ ચીનને અનુકૂળ હોવો જાેઈએ ઃ શી જિનપિંગ

ચીન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તેમના દેશમાં ઈસ્લામ ચીનને અનુકૂળ હોવો જાેઈએ. શી જિનપિંગે આ વાત શિનજિયાંગ રાજ્યના અધિકારીઓને કહી જ્યાં તેઓ ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે શિનજિયાંગ ચીનનું એ રાજ્ય છે જ્યાં ઉઈગર મુસ્લિમોની સારી એવી વસ્તી છે. શી જિનપિંગે અહીં પોતાના અધિકારીઓને કહ્યું કે ઈસ્લામે ચીની સમાજને અનુકૂળ હોવું જાેઈએ અને સમાજવાદી માળખાને અપનાવવું જાેઈએ. જેનું ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી પ્રતિનિધિત્વ કરે છે. ચીનના રાષ્ટ્રપતિએ પોતાના અધિકારીઓને કહ્યું કે આ સમુદાયે ચીન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારવી જાેઈએ. આ સાથે જ તેમણે અન્ય સમુદાય સાથે સંવાદ સ્થાપિત કરવા માટે કામ કરવું જાેઈએ. શીએ ધાર્મિક મામલાઓમાં શાસન ક્ષમતામાં સુધાર લાવવા માટે તથા ધર્મોના સ્વસ્થ વિકાસને સાકાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શી જિનપિંગે કહ્યું કે ચીનમાં ઈસ્લામ ચીની વાતાવરણમાં ખીલવો જાેઈએ અને તમામ ધર્મોએ સમાજવાદી વ્યવસ્થાને અનુકૂળ પોતાને વિક્સિત કરવા જાેઈએ. શી જિનપિંગે કહ્યું કે ધર્મોને માનનારા પાર્ટી અને સરકાર સાથે સંગઠિત હોવા જાેઈએ. અત્રે જણાવવાનું કે ચીનના રાષ્ટ્રપતિ ઘણા સમયથી ઈસ્લામ ધર્મને લઈને નિવેદન આપી રહ્યા છે જેમાં તેમનું કહેવું છે કે આ ધર્મ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની નીતિઓને અનુકૂળ હોય. શિનજિયાંગમાં સાંસ્કૃતિક ઓળખ પર ભાર મૂકતા શી જિનપિંગે કહ્યું કે તમામ સમુદાયો એ પ્રકારે શિક્ષિત અને ગાઈડ થવા જાેઈએ જેથી કરીને તેમની ઓળખ તેમની માતૃભૂમિ, ચીનની સંસ્કૃતિ, કમ્યુનિસ્ટ પાર્ટી અને સમાજવાદ સાથે મજબૂત થાય. અત્રે જણાવવાનું કે ચીનના શિનજિયાંગ પ્રાંતથી જ ઉઈગર મુસ્લિમો સાથે કેમ્પમાં અત્યાચારના સમાચાર આવતા રહે છે. જાે કે ચીન હંમેશા આવી ઘટનાઓ પર ઢાંકપીછોડો કરવાના પ્રયત્નો કરતું રહે છે. જે કેમ્પોમાંથી આ પ્રકારની બર્બરતાવાળા અત્યાચારની ખબરો આવે છે તેને ચીન શિક્ષણ કેન્દ્ર ગણાવે છે. આ સાથે જ વિસ્તારમાં સક્રિય તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ નામના સંગઠન પર આતંકી હુમલાના પણ આરોપ લગાવે છે.

Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *