Delhi

રક્ષા મંત્રી રાજનાથસિંહ રાજાૈરીનો પ્રવાસ કરે તેવી સંભાવના

નવીદિલ્હી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના રાજાૈરીનો પ્રવાસ કરી શકે છે.સુત્રોના જણાવ્યા અનુસાર રાજનાથસિંહ ૨૬ જાન્યુઆરી બાદ રાજાૈરી જાય તેવી સંભાવના છે.જ્મ્મુ કાશ્મીરના ભાજપ નેતાઓએ દિલ્હીમાં રાજનાથ સિંહની મુલાકાત કરી હતી અને ભાજપ નેતાઓએ રાજનાથસિંહથી રાજાૈરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ ચર્ચા કરી નેતાઓએ માંગ કરી છે કે રાજાૈરીમાં સુરક્ષાની વ્યવસ્થા વધુ યોગ્ય કરવી જાેઇએ એ યાદ રહે કે તાજેતરમાં રાજાૈરીના ડાંગરી ગામમાં આતંકવાદીઓએ હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતાં આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી સાત લોકોને માર્યા ગયા અને અનેક લોકોને ઇજા પહોંચી હતી.સુરક્ષા દળોએ રાજાૈરી હુમલાનો બદલો લઇ લીધો છે.સુરક્ષા દળોએ બાલાકોટમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતાં આ બંન્ને રાજાૈરી હુુમલામાં સામેલ હતાં બાકીના આતંકીઓની હાલ શોધ ચાલી રહી છે. આશંકા છે કે આતંકીઓને સ્થાનિક લોકોનું સમર્થન મળી રહ્યું છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *