દેશ દુનિયામાં ફરી પોતાની કલા બતાવી અને કમાતા લોકોમાંના એક જાદુના પ્રયોગ કરી અને લોકોને મનોરંજન પૂરૂ પાડતા જાદુગર રાજકુમાર
કોરોના આવ્યાના 2 વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી મધ્યમ વર્ગના લોકો ધંધા વિહોણા બન્યા અને ઘણા પોતાના ઘરના સભ્યોથી પણ વંચિત રહી ગયા અમે વેટ કરવાના છીએ આવાજ એક મધ્યમ વર્ગના પરિવારની તો અંદાજિત વીસેક માણસોના સ્ટાફ સાથે પ્રથમ વખત કેશોદની ધરતી ઉપર જાદુગર રાજકુમારની ટિમ આવતા કેશોદ તાલુકામાં કઈક નવીનતા જોવા મળવાનો લોકોના ઉત્સાહ માં વધારો થાય અને તેવા હેતુ સાથે મૂળ અમરેલી જિલ્લાના દામનગરના વતની પોતાના પરિવારના ખર્ચને પહોંચી વળવા છેક જુનાગઢ જિલ્લાના કેશોદના મહેમાન બન્યાછે જેમના દ્વારા જાદુગરના શો નો શુભારંભ કરવામાં આવ્યોછે ત્યારે લોકો પણ તેમના શોમાં મન ભરી માણવા પહોંચી જાયછે અને જાદુગર રાજકુમાર દ્વારા એ પણ જણાવવામાં આવેલ કે હાલ કોમ્પ્યુટર યુગમાં લોકો છેક ચંદ્ર અને મંગળ સુધી જઇ રહ્યાછે તો પણ આજે અંધશ્રદ્ધા એટલીજ જોવા મળી રહીછે ત્યારે અમારો એક મેસેજ તમામ લોકો શુધી પહોંચાડવાનો પણછે જ કે આવા કોઈ પણ લોકો આપણા આંગણા પર આવે ત્યારે તેઓના સકંજામાંના આવી જઈએ જાદુગર દ્વારા એ પણ કહ્યું કે અમારો શો પરિવાર સાથે માણી શકાય તેવા અદભુત અને હેરત ભર્યા પ્રયોગો સાથે તમામને મનોરંજન પૂરું પાડવાના અમારા દ્વારા હંમેશા પ્રયાસ રહેશે
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ


