- જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન મામલે ભષ્ટ્રાચાર થયો હોવાનો વિપક્ષના આક્ષેપ
સાગર નિર્મળ
જુનાગઢ
જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન મામલે ભષ્ટ્રાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા સનસની ભર્યા આક્ષેપ કરવામાં આવ્યાં છે.
કરોડો રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશનની કામગિરી પૂરજોશમાં ચાલી રહી છે.તળાવ કામગીરીમાં માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ માટી 2 કરોડ ની રકમ વપરાઈ હોવાનો વિપક્ષનો દાવો છે જેમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ, એન.સી.પી. અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ભ્રષ્ટાચાર થયાં હોવાનાં સવાલ ઉઠાવ્યા છે.ત્રણેય પક્ષના આગેવાનોએ તળાવ બ્યુટીફીકેશનનું નિરીક્ષણ કર્યું હતું અને મિડીયા સમક્ષ તળાવ બ્યુટીફીકેશન કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.