Delhi

આદિપુરુષ ફ્લ્મિના વિવાદીત ડાયલોગ ફિલ્મથી હટાવવામાં આવશે ઃ મનોજ મુંતશિર

નવીદિલ્હી
આદિપુરુષ ફ્લ્મિને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ફિલ્મમા બોલાયેલ ડાયલોગ પર લોકોની ભાવનાને ઠેસ પહોચી છે. ત્યારે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી હોવાનું પણ જણાવ્યુ છે. ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદાસ્પદ સંવાદો અને ગ્રાફિક્સને લઈને વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સ લખનાર મનોજ મુન્તાશીર શુક્લાની સૌથી વધુ ટીકા થઈ રહી છે. ત્યારે આ વિવાદ વચ્ચે મનોજ મુંતશિરનું ટિ્‌વટ સામે આવ્યુ છે જેમાં રાઈટરે લોકોની માફિ માંગી છે અને જણાવ્યું છે લોકોની ભાવનાને ઠેસ પહોચાડવાનો ફિલ્મનો ઉદ્દેશ્ય ન હતો. મનોજે આગળ ટિ્‌વટમાં કહ્યુ છે કે મારા પોતાના ભાઈઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા છે. મનોજ મુંતશિરે આ અંગે કહ્યુ કે મારા માટે તમારી લાગણીથી મોટું કંઈ નથી. હું મારા ડાયલોગની તરફેણમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે કેટલાક સંવાદો જે તમારી ભાવનાને ઠેસ પહોચાડે છે તે તમામ ડાયલોગ સુધારીશું, અને તેઓ આ અઠવાડિયે ફિલ્મમાં ઉમેરવામાં આવશે. મનોજ મુન્તાશીર ફિલ્મના ડાયલોગને લઈને અગાઉ કહ્યુ હતુ કે આવી ભાષા જાણીજાેઈને રાખવામાં આવી છે જેથી લોકો તેની સાથે રિલેટ કરી શકે. કહેનારા કહે છે કે હનુમાનજીના આ સંવાદની દરેક લાઇનની શરૂઆતમાં અપશબ્દો પણ ઉમેરવામાં આવ્યા હતા. જેને સેન્સર બોર્ડે નિર્માતાઓના કહ્યા બાદ હટાવી દીધી હતી. નહિ તો હનુમાનજી આ બીજ મંત્રો દ્વારા રૂબરૂમાં પ્રગટ થયા હોત. તુલસીદાસ શું ખાઈ શકે અને સ્થાનિક ભાષામાં આટલું બધું લખી શકે? પ્રેક્ષકો સાથે જાેડાવા માટે, રાવણ કહે છે જે અમારી બહેનોને સ્પર્શ કરશે, અમે તેમની લંકા લગાવી દઈશું આ ડાયલોગ સાંભળ્યા પછી હોબાળો મચી ગયો છે અને લોકો તેનો સતત વિરોધ કરી રહ્યા છે.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *