Gujarat

અમરેલીમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વનરાજ વાળા નખત્રાણા હાઈવે પરથી ઝડપાયો

અમરેલી
અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો હતો જે અંતર્ગત મોટભગના આરોપીઓ ની ધરપકડ કરાઈ ચૂકી છે. પરંતુ વનરાજ મંગળુભાઈ વાળા નામનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. અમરેલી જિલ્લાની અલગ અલગ નામદાર કોર્ટમાંથી આરોપી સી.આર.પી.સી કલમ ૭૦ મુજવ વોરંટ ઇસ્યુ કર્યું હતું. સાવરકુંડલા રુલર પોલીસ સ્ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ(ય્ઝ્ર્‌ર્ંઝ્ર)અધિનિયન ૨૦૧૫ની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર અને અમરેલી જીઁ હિમકર સિંહની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમ દ્વારા આરોપીને ટેક્નિકલ સોર્સ અને બાતમી હકીકત આધારે ભુજ-નખત્રાણા હાઇવે ઉપરથી દબોચી લેવાયો છે અને તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીને વધુ તપાસ માટે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. વનરાજ મંગળુભાઈ વાળા રે નાની ધારી વાળા વિરુદ્ધ ખુન આમ્સ એક્ટ,ગુજસીટોક,તથા પ્રોહીબિશન સહિત ગુન્હાઓ નોંધાયેલા છે જેમાં ખાંભા,સાવરકુંડલા રુલર,માં ગેરકાયદેસર હથિયાર સહિત હત્યા સુધીના ગુન્હાને અંજામ આપી ચુક્યો છે પોલીસને આરોપી પકડવા માટે મોટી સફળતા મળી છે

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *