Gujarat

રશિયાએ યુક્રેનના પૂર્વી શહેર પોકરોવસ્કમાં જી-૩૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી હુમલો કર્યો, ૧૧ના મોત, ૮ ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૩ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની કોઈને ખબર નથી. ૨૪ ફેબ્રુઆરીએ આ યુદ્ધ શરૂ થયાને બે વર્ષ થશે. આટલા દિવસોના યુદ્ધ પછી પણ ન તો કોઈ જીત્યું કે ન હાર્યું. હજુ પણ આ યુદ્ધ ચાલુ છે. દરમિયાન રશિયાએ યુક્રેનના પૂર્વી શહેર પોકરોવસ્કમાં મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ બાળકો સહિત ૧૧ લોકોના મોત થયા હતા જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. પોકરોવસ્કના પ્રાદેશિક ગવર્નરે આ માહિતી આપી છે. ડોનેટ્‌સક ક્ષેત્રના વડા, વાદિમ ફિલાશ્કિને ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે રશિયાએ આ હુમલો જી-૩૦૦ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી કર્યો હતો. રશિયાની આ મિસાઈલની ગણતરી સૌથી શક્તિશાળી મિસાઈલોમાં થાય છે.

રશિયા આનો ઉપયોગ યુક્રેન પર હુમલો કરવા માટે કરે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયન મિસાઈલ હુમલાના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રશિયા પર ફરી એકવાર ઈરાદાપૂર્વક લોકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. ઝેલેન્સકીએ રશિયાને આતંકવાદી રાજ્ય ગણાવ્યું હતું.. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાએ દર વખતે એ સમજવું જાેઈએ કે આમાંથી કોઈ પણ હુમલા આતંકવાદી રાજ્ય માટે પરિણામ વિના સમાપ્ત થશે નહીં. તમને જણાવી દઈએ કે આ સમયે રશિયાએ યુક્રેન પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે.

નવા વર્ષ નિમિત્તે રશિયાએ કિવ-ખાર્કિવને નિશાન બનાવ્યું હતું. બંને શહેરોમાં થયેલા હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. ૧૨૨ થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ૩૯ લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ૨૩ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ન તો રશિયા જીત્યું અને ન તો યુક્રેન હાર્યું, તેમ છતાં યુદ્ધ ચાલુ છે. આ લાંબા યુદ્ધમાં બંને દેશોને ઘણું નુકસાન થયું છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા હતા જ્યારે કેટલાક શહેરો રશિયાએ કબજે કરી લીધા હતા. પરંતુ યુક્રેન આ યુદ્ધમાં અડગ છે.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *