Gujarat

ઉનાના વાંસોજ ગામે રાત્રીના નિંદ્રાધીન વૃદ્ધને કોઈ અજાણ્યા શખ્સો એ તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા..

ઉનાના વાંસોજ ગામે વૃદ્ધ પોતાના ઘરની ઓસરીમાં રાત્રીના સમયે સુતા હતા. એ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ નિંદ્રાધીન વૃદ્ધને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતરતા લોહીલોહાણ હાલતમાં પડેલ હતાં. સવારે આ ઘટનાની જાણ તેમનાં પુત્રને થયાં તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરી હતી. અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ વૃદ્ધની હત્યા નિપજાવનારની શોધખોળ હાથ ધરી છે. આ અંગે મૃતક વૃદ્ધના દીકરા એ નવાબંદર મરીન પોલીસમાં અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યારાની શોધવા ચક્રોગતીમાન કરેલ છે.

વાંસોજ ગામે રહેતા મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાળ પોતાના ઘરની ઓસરીમાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સો એ અંદર પ્રવેશ કરી વૃદ્ધ મસરીભાઈ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે માથાનાં ભાગે ઘા મારી મોત નીપજાવેલ હતુ. અને આ ઘટનાની જાણ થતા લોકોનાં ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. અને મૃતક વૃદ્ધને માથાનાં ભાગે હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારતાં લોહીલોહાણ હાલતમાં ઢળી પડેલ હતાં. જે અંગેની જાણ પોલીસને થતા નાવાબંદર મરીન પોલીસ, એલ સી બી બ્રાન્ચ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને હત્યા કરનારની શોધખોળ હાથ ધરી છે. વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થ ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ આ અંગે વૃદ્ધના દીકરા રણછોડભાઇ મસરીભાઇ શિયાળ એ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે 103(1) સહિત ગુન્હા હેઠળ ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે