લાલપુરમાં ઠેર ઠેર માં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે સમગ્ર લાલપુરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. દિન પ્રતિદિન રોગચાળો પણ વક્રતો જઈ રહ્યો છે તો વળી રોગચાળા થી કેટલા લોકોના મૃત્યુના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
આથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે. શહેરની ગાયત્રી સોસાયટી મેઇન રોડ લક્ષ્મી પાર્ક સહકાર પાર્ક સાનિધ્ય પાર્ક એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર આંબેડકર નગર શિવનગર સહિતના વિસ્તારોમાં કચરાના ગંજજામેલા છે.
જેને પગલે આ વિસ્તારના રહેવાસીઓ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તો વળી યોગ્ય રીતે આ વિસ્તારમાં સાફ-સફાઈ ન થવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે આથી લોકોમાં મચ્છરજન્ય રોગ ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે ખાટલે મોટી ખોટ તો એ છે કે શહેરમાં સફાઈ કામદારો હોવા છતાં શેરની ગલીઓમાં તો ગંદકીના ઢેર જોવા મળી જ રહ્યા છે આ સાથે શહેરમાં મુખ્ય રસ્તાઓમાં પણ કચરો અને ગંદકીને સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
તો વળી આટલું ઓછું હોય તેમ શહેરમાં કચરાપેટીઓ પણ મૂકવામાં આવી નથી આથી રહેવાસીઓ તથા કામદારો પણ પોતાના વિસ્તારનો કચરો જાહેર રસ્તાઓ પર ફેંકી દે છે જેના પગલે ગંદકીમાં વધારો થાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી આમ લાલપુરમાં સરકારના સ્વચ્છતા અભિયાનના મોટા મોટા દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે તો વળી લાલપુર ગ્રામ પંચાયતની સામે જ ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે છતાં તંત્ર મુખ પ્રેક્ષક બની ગયું છે.