Gujarat

નડિયાદમાં સાન્તાક્લોઝ બની વૃદ્ધોને બ્લેન્કેટની ગિફ્ટ આપી

નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે નડિયાદમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી. સંત અન્ના પરિવારે વૃધ્ધાશ્રમમાં પહોંચી સાન્તાક્લોઝ બની વૃદ્ધ બા-દાદાને બ્લેન્કેટની ગીફ્ટ આપી હતી. સાથે સાથે મોં મીઠું કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

બુધવારે 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ખ્રિસ્તી સમુદાયના લોકો આ પર્વને વધાવવા આતુર બન્યા છે. નડિયાદમાં સંત અન્ના પરિવારે નાતાલ પર્વના આગળના દિવસે અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી. જેમાં આ પરિવારના સભ્યો નડિયાદમાં આવેલ દીકરાના ઘર (વૃધ્ધાશ્રમ) ખાતે પહોંચી 95 વૃદ્ધ બા-દાદાને ગરમ બ્લેન્કેટ આપ્યા હતા. આ ઉપરાંત પરિવારના સભ્યોએ નાતાલના ગીતો ગાયા હતા તેમજ બાળ ઈસુના જન્મની વધામણી અને તમામ વડીલ વૃધ્ધના તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.