ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદ તથા સ્ટેટ બેન્ક ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી દિવ્યાંગ ઉદ્યોગ સાહસિક દ્વારા ચલાવવામાં આવતા ધંધાને વૃદ્ધિ થાય તે હેતુથી ૧૨ દિવસના તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ તાલીમ કાર્યક્રમ કઠલાલ શેઠ એમ આર સ્કૂલ ખાતે યોજાશે.
આ તાલીમ કાર્યક્રમમાં કુલ 27 દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોએ તાલીમ મેળવી રહ્યા છે આ તાલીમ કાર્યક્રમમાં ધંધાના વિકાસ અને સરકારની અને બેંકની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ શ્રી અમિત દ્રિવેદી પ્રોજેક્ટ ડાયરેક્ટ, પ્રોજેક્ટ મેનેજર હીમાંશુ મકવાણા ઇ.ડી.આઇ. આઈ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું.