છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે ઓરસંગ નદીમાં થતું રેતી ખનન અટકાવવા માટે નદીમાં રસ્તા ખોદી નાખ્યા હતા.
છોટાઉદેપુરના ખાન ખનીજ વિભાગ દ્વારા રાત્રિના સમયે ગેરકાયદેસર ઓરસંગ નદીમાં ટ્રેક્ટર દ્વારા બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા હોય જેની ખાન ખનીજ વિભાગને જાણ થતાં છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર તાલુકા વિસ્તારમાં આવેલ નાલેજ,પીપલેજ,ફતેપુર,જાગનાથ મહાદેવ મંદિર,એસપી ઓફિસ સામે હેલિપેડ નદીમાં જવાના રસ્તાઓ ઉપર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે.સાથે ખાન ખનીજ વિભાગે રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી છે.જેને લઇને રેતી માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.