પોરબંદર ખેતી વાડી વિભાગ દ્વારા મગફળીમાં સફેદ ધૈણ(મુંડા)નું સંકલિત વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં માર્ગદર્શન અપાયું છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે. ત્યારે મગફળીમાં મુંડાના રોગને અટકાવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા ખેતાવાડી વિભાગના જણાવ્યા અનુસાર મગફળીમાં ઘણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો.

મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના 30 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દ્રારા 5.0 કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનમાં આપવું. સફેદ ધૈણ (મુંડા) નો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ 20 ઈ.સી. 40થી 50 મી.લી. દવા 10 લીટર પાણીમાં મીશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ 20 ઈ.સી. અથવા કવીનાલફોસ 25 ઈ.સી. હેકટરે 4 લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે આ જીવાતોના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ 4 લીટર દવા 5 લીટર પાણીમાં ઓગાળી આમિશ્રણને 100 કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી. જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવ્યુ છે.