રાજકોટ જિલ્લા ના વેરાવળ પડવલા રોડ ને જોડતા વાસંગી દાદા ના મંદિર નજીક આવેલ નદી ના પુલ ની સ્ટીલ ની અતિ જર્જરીત હાલત માં જોવા મળે છે. જેમાં અકસ્માત થાય તેવી તંત્ર રાહ જોતું હોય તેવી લાગી રહ્યું છે. અને પુલ ઉપર પણ રોડ માં સરિયાં દેખાવા લાગ્યા છે.મંદિર પાસે આવેલ પુલ ઉપર મસ મોટા ખાડાઓ પડી ગયેલ છે. તેમજ વાહન ચાલકોને રોજ રોજ વાહન ચલાવવામાં પોતાના જીવ ના જોખમમાં મૂકીને વાહન ચલાવવામાં મજબુર બને છે આ પુલ ઉપર થી રોજ ના હજાર વાહનો ની અવર-જવર થતી હોય છે.

આ પુલ રાજાસાહી થી બનેલો હોવાનું મનાય છે. જેથી પુલ ઉપર થી 10 થી વધુ ગામો ના લોકો પસાર થાય છે. અને રોજે રોજ વાહનો લઈ ને પોતાની રોજી રોટી કમાવવા માટે પડવલા થી વેરાવળ ગામ અને વેરાવળ ગામથી કારખાનાઓમાં અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાઓમાં વાહનો લઈને અપડાઉન કરતા હોય છે. વર્ષો પેલા આ પુલ બન્યો હોવાનું ગામ લોકો પાસે થી જાણવા મળેલ છે. પણ બન્યા બાદ કોઈ રિપેરિંગ નહીં કરવામાં આવતા.આ પુલની હાલ અતિ જર્જરીત છે
પૂલ ની બાજુ માં બંને સાઈડો ની સેફટી દીવાલો ખુલ્લી હોય છે.

જેથી ગમે ત્યારે અકસ્માત સજાય તેવું દેખાય રહ્યું છે. આ તંત્ર એક મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.આવી પરિસ્થિતિ આ પુલ ની ગંભીર તાથી નોંધ લેવામાં આવતી નથી ઉપરથી અનેક અધિકારીઓની અને તંત્રની ગાડીઓ આવતી જતી હોય છે આ પુલ ઉપર અનેક પડવલા ઇન્ડસ્ટ્રી જવા માટે નો એક જ આ ફૂલ અને આ રસ્તો હોય છે જેમાં આ પુલ ઉપર આવતા દિવસોમાં પુલ ઉપર કંઈ પણ જાતનું નુકસાન થશે તો અને ગામો વિણોણા થઈ શકશે જેમાં આ પુલ ઉપરથી અનેક ગામોના અને આજુબાજુના ગામોના લોકો આ પુલ ઉપરથી રોજે રોજ વાનો લઈને અવરજવર કરતા હોય છે.
અને પ્રાઇવેટ વાહનો મોટી સંખ્યામાં રોજે રોજ અવર-જવર કરતા હોય છે. માર્ગ અને મકાન વિભાગ ક્યારે જાગશે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.લોકો ની મુશ્કેલીઓ ક્યારે દૂર કરશે આ સમસ્યા નું નિવારણ તંત્ર દ્વારા ક્યારે કરાસે તે લોકો ધણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે.તંત્ર દ્વારા વહેલી તકે આ પુલ તથા રેલિંગ નું સમારકામ હાથ ધરાય તેવું લોકો ઈછી રહ્યા છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ