Gujarat

દાહોદના ફતેપુરા બસ સ્ટેન્ડમાં પતરાનો શેડ જર્જરિત બન્યો, મુસાફરોએ વહેલીતકે સમારકામ કરવાની માગ કરી

ફતેપુરા એસ. ટી. બસ સ્ટેન્ડ પર થી દરરોજ હજારો મુસાફરોની અવર જવર રહે છે. તેથી આ લોકોની માંગણી છે કે કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસ. ટી. સ્ટેન્ડના પતરાના શેડનું સમારકામ કરવામાં આવે તેવી મુસાફરો સહીત ગ્રામજનોએ માંગ કરી છે.

દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલું એસ.ટી. બસ. સ્ટેન્ડમાં પતરાનો શેડ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેના લીધે મુસાફરી માટે આવતા નાગરિકોને નેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ફતેપુરા જર્જરિત પતરાના શેડ અંગે અનેક વખત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી.

ફતેપુરા બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોની માંગ છે કે આ ખખડધજ થયેલા એસ.ટી. સ્ટેન્ડ ના પતરા ના સેડ નું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, જેના લીધે અહિયાં આવતા મુસાફરોને સારી સગવડ મળી શકે. આ એસ. ટી. બસ સ્ટેન્ડ પર દરરોજ હજારો મુસાફરોની અવર જવર કરે છે. તેથી આ લોકોની માંગણી છે કે કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસ. ટી. સ્ટેન્ડનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.