Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ  પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો

સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સાવરકુંડલા રૂરલ પીઆઇ ચૌધરી સાહેબ તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પીઆઇ પરમાર સાહેબ તેમજ વીજપડી આઉટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ ગામના ગ્રામજનો તેમજ સરપંચો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વ્યાજખરી નાબૂદી અંગે પરમાર સાહેબ તેમજ ચૌધરી સાહેબ દ્વારા કાયદા તેમજ તેમાં રહેલી જોગવાઈ અંતર્ગત માહિતગાર કર્યા તેમજ ઉપસ્થિત ગ્રામજનો તેમજ સરપંચો દ્વારા પણ વાર્તાલાપ કરવામાં આવેલ વ્યાજખોરી અંગે મુંજવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ વિના સંકોચે રજૂઆત કરવા અપીલ કરવામાં આવેલ . સરકારશ્રીના વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત સરકાર શ્રીની તેમજ પોલીસ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાયબર ફ્રોડ ના વધતા જતા ગુનાઓને અટકાવવા માટે પણ તમામ સૂચનોથી માહિતગાર કરવામાં આવ્યા અને જરૂર જણાય ત્યાં પોલીસ પ્રજાની સાથે છે તેમ જણાવવામાં આવેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા