National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળે ત્રણ મોટી જાહેરાતો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળે ત્રણ મોટી જાહેરાતો કરી છે. મંત્રીમંડળે આજે ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ અને કેદારનાથ માટે બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આનાથી આ યાત્રાધામોની મુલાકાત લેતા યાત્રાળુઓને મોટી રાહત મળશે. આ સાથે, કેબિનેટે ખેડૂતોની રાહત માટે એક મોટી જાહેરાત પણ કરી છે. મંત્રીમંડળે પશુધનના સ્વાસ્થ્ય અને તેમના રોગોના નિયંત્રણ માટેની યોજનાને પણ મંજૂરી આપી છે.

આજે મંત્રીમંડળે સોનપ્રયાગથી કેદારનાથજી સુધી લગભગ ૧૩ કિમી લાંબા રોપવેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ રોપવે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા પ્રોજેકટ હેઠળ બનાવવામાં આવશે. આ પ્રોજેકટનો ખર્ચ લગભગ ૪૧૦૦ કરોડ રૂપિયા હશે અને તેની મદદથી દરરોજ ૧૮ હજાર લોકો | મુસાફરી કરી શકશે. આ રોપવેની મદદથી, મુસાફરીનો સમય ઘણો ઓછો થશે અને યાત્રાળુઓ એકતરફી મુસાફરી ૮ થી ૯ કલાક પગપાળા કરવાને બદલે ૩૬ મિનિટમાં પૂર્ણ કરી શકશે.

આ સાથે, ઉત્તરાખંડમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ જી સુધી ૧૨.૪ કિલોમીટર (૧ ) લાંબો રોપવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર ૨૭૩૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આ રોપવેની મદદથી મુસાફરીનો સમય ઘણો ઓછો થશે. ચમોલી સ્થિત આ તીર્થસ્થળની આસપાસ વેલી ઓફ ફ્લાવર્સ સહિત અન્ય ઘણા પર્યટન સ્થળો છે, જે આ સ્થળોએ જતા પ્રવાસીઓને પણ ખૂબ ફાયદાકારક રહેશે.

આ ઉપરાંત, મંત્રીમંડળે પશુધનના સ્વાસ્થ્ય માટે પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ માં સુધારાને મંજૂરી આપી છે. હવે ૨ વર્ષ માટે ૩૮૮૦ કરોડ રૂપિયાના આ કાર્યક્રમના કાર્યક્ષેત્રમાં પગ અને મોં સહિત ૪ મુખ્ય રોગોને લાવવામાં આવ્યા છે. આ અંતર્ગત, પશુધનની દેખરેખ અને તેમના રસીકરણ દ્વારા રોગોને નિયંત્રિત કરવામાં આવશે. આ રોગોને કારણે પ્રાણીઓની ઉત્પાદકતા પર અસર પડે છે. જેના કારણે ખેડૂતોની આવક પર સીધી અસર પડે છે. જાે પ્રાણીઓ સ્વસ્થ રહેશે, તો ખેડૂતોની આવક વધશે અને સમગ્ર અર્થતંત્રને તેનો લાભ મળશે.