National

હલીશહરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ઉશ્કેરાયેલી ભીડે હુમલો કરતા ભારે સનસનાટી મચી

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના હલીશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ઉશ્કેરાયેલી ભીડે એ હુમલો કર્યો હતો. કાફલો તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક મૃત કાર્યકરના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને વચ્ચે જ રોકી દીધો અને હુમલો કર્યો હતો અને પ્રદર્શનકારીઓએ તેમની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી, અને તેના પર કાદવ, પાણીની બોટલો તેમજ જૂતા-ચંપલ ફેંક્યા હતા તથા મમતા બેનરજી સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ત્યાની બગડતી પરિસ્થિતિ બગડતી જાેઈને, પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને કડક સુરક્ષા હેઠળ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા ઘેરાબંધીની અંદર મમતા બેનર્જીના કાફલાને વિસ્તારની બહાર લઈ ગયા.

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પોલીસની હાજરી માં જ આક્રમક ટોળાએ અચાનક તેમના વાહન પર પથ્થરો અને પગરખાંથી હુમલો કર્યો. જાેકે, તે સમયે કારની બારીઓ બંધ હતી, જેના કારણે પથ્થરો તેમને વાગ્યા નહીં નહીંતર માથું ફૂટ ગયું હોત.
આ ઘટના બાદ હલીશહરમાં પોલીસ દરેક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.