National

ભાજપના નેતા હિમંત બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

મંગળવારે (૧૨ મે) ભાજપના નેતા હિમંત બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે સતત બીજા કાર્યકાળ માટે શપથ લીધા. ગુવાહાટીના ખાનપરા વિસ્તારમાં વેટરનરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ શર્માને શપથ લેવડાવ્યા.

આ શપથ ગ્રહણ સમારોહ રાજ્યમાં સતત ત્રીજી NDA સરકારની રચના દર્શાવે છે, જેમાં ગઠબંધન પહેલી વાર ૨૦૧૬માં હાલના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તામાં આવ્યું હતું.

ચાર મંત્રીઓએ શપથ લીધા

સરમાની સાથે, ભાજપના સાથી પક્ષો છય્ઁ અને મ્ઁહ્લના બે સહિત ચાર મંત્રીઓએ નવી NDA સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા.

સરમા સાથે શપથ લેનારા ચાર ધારાસભ્યોમાં ભાજપના રામેશ્વર તેલી અને અજંતા નિઓગ અને તેમના સાથી પક્ષોમાંથી એક-એક – છય્ઁના અતુલ બોરા અને મ્ઁહ્લના ચરણ બોરોનો સમાવેશ થાય છે. નિઓગ, બોરા અને બોરો સરમાના પ્રથમ મંત્રીમંડળના સભ્યો હતા, જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તેલી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા હતા.

રામેશ્વર તેલી

તાજેતરમાં પૂર્ણ થયેલી ૨૦૨૬ ની આસામ વિધાનસભા ચૂંટણીમાં રામેશ્વર તેલી દુલિયાજન મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર ધ્રુબા ગોગોઈને ૧૦,૪૫૯ મતોના માર્જિનથી હરાવીને ચૂંટાયા હતા. રામેશ્વર તેલીએ બે ટર્મ (૨૦૧૪-૨૦૨૪) માટે દિબ્રુગઢ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેમને ૨૦૨૪ માં આસામનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભા સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેલીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (૨૦૨૧-૨૦૨૪) તરીકે પણ સેવા આપી હતી.

અતુલ બોરા

અતુલ બોરા આસામ ગણ પરિષદ (છય્ઁ) ના વર્તમાન પ્રમુખ છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ૨૦૨૬ ની આસામ વિધાનસભા ચૂંટણીમાં બોકાખાટ મતવિસ્તારમાંથી રાયજાેર દળના ઉમેદવાર હરિ પ્રસાદ સૈકિયાને ૬૦,૫૩૭ મતોના માર્જિનથી હરાવીને બોરા ચૂંટાયા હતા.

બોરા આસામના ભૂતપૂર્વ કૃષિ, બાગાયત અને પશુપાલન મંત્રી છે (૨૦૧૬-૨૦૨૬).

ચરણ બોરો

ચરણ બોરો બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (મ્ઁહ્લ) ના વરિષ્ઠ નેતા છે. તેઓ તાજેતરમાં પૂર્ણ થયેલી ૨૦૨૬ ની આસામ વિધાનસભા ચૂંટણીમાં મઝબત મતવિસ્તારમાંથી ઝારખંડ મુક્તિ મોરચા (ત્નસ્સ્) ના ઉમેદવાર પ્રીતિ રેખા બારલાને ૫૫,૫૪૬ મતોના માર્જિનથી હરાવીને ચૂંટાયા હતા.
બોરો સતત ત્રીજી વખત (૨૦૧૬, ૨૦૨૧ અને ૨૦૨૬) આસામ વિધાનસભામાં ચૂંટાયા હતા.

અજંતા નિઓગ:

અજંતા નિઓગ આસામના પ્રથમ મહિલા નાણામંત્રી હતા. તાજેતરમાં પૂર્ણ થયેલી ૨૦૨૬ ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ગોલાઘાટ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર બિટુપન સૈકિયાને ૪૩,૭૫૯ મતોના માર્જિનથી હરાવીને ચૂંટાયા હતા.

તેઓ સતત છઠ્ઠી વખત (૨૦૦૧, ૨૦૦૬, ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૨૧ અને ૨૦૨૬) આસામ વિધાનસભામાં ચૂંટાયા હતા.

પીએમ મોદી, દ્ગડ્ઢછના ટોચના નેતાઓ હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સર્વાનંદ સોનોવાલ, પવિત્રા માર્ગેરિતા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

શર્માની માતા મૃણાલિની દેવી, પત્ની રિંકી ભૂયાન શર્મા, પુત્ર નંદિલ બિસ્વા શર્મા અને પુત્રી સુકન્યા શર્મા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

૫૭ વર્ષીય શર્મા રાજ્યના પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે જેમણે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

ભાજપની આગેવાની હેઠળના દ્ગડ્ઢછએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી સાથે આસામમાં સત્તા જાળવી રાખી. ૧૨૬ સભ્યોના ગૃહમાં ભાજપે ૮૨ બેઠકો જીતી, જ્યારે સાથી પક્ષો આસોમ ગણ પરિષદ (છય્ઁ) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (મ્ઁહ્લ) એ ૧૦-૧૦ બેઠકો મેળવી.