Delhi

દુનિયાની પ્રથમ કોરોના ,Nasal Vaccine જે બની શકે છે કોઇપણ વેક્સીનની બૂસ્ટર

નવીદિલ્હી
ભારત બાયોટેકની દ્ગટ્ઠજટ્ઠઙ્મ ફટ્ઠષ્ઠષ્ઠૈહી ૈદ્ગર્ઝ્રંફછઝ્રઝ્ર ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોમાં હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી હતી. તેનો અર્થ એ છે કે તમે કોઇપણ વેક્સીન લગાવી હોય તો પણ બૂસ્ટર ડોઝ તરીકે પણ ભારત બાયોટેકની નેજલ વેક્સીન લગાવી શકો છો. ભારત બાયોટેકની ૈદ્ગર્ઝ્રંફછઝ્રઝ્ર ને તાજેતરમાં જ પ્રાઇમરી કોરોના વાયરસ નેજલ વેક્સીન તરીકે મંજૂરી મળી હતી. આ વેક્સીન પણ બે ડોઝમાં આપવામાં આવશે. બંને ડોઝ ૨૮ દિવસની અંદર જ આવશે. પ્રાઇમરી વેક્સીન તરીકે મંજૂરી મળ્યા પહેલાં આ વેક્સીનને ૩૧ લોકો પર ટ્રાયલ કરવામાં આવી હતી. આ ટ્રાયલ ભારતમાં ૧૪ જગ્યાએ થયું હતું આ રીતે બૂસ્ટર ડોઝ તરીકે તેની કાર્યક્ષમતા જાેવા માટે ૮૭૫ લોકોમાં તેનું ટ્રાયલ થયું અને આ ટ્રાયલ ૯ જગ્યાએ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ૨૯૧ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૬,૭૧,૮૫૩ થઇ ગઇ છે જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને ૫,૧૨૩ થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આઠ વાગે જાહેર આંકડા અનુસાર કેરલ દ્વારા સંક્રમણથી જીવ ગુમાવનાર લોકોની યાદીમાં બે ઉમેરાતા કુલ મૃતક સંખ્યા વધીને ૫,૩૦,૬૧૪ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસોની સંખ્યાના ૦.૦૧ ટકા છે જ્યારે કોવિડ ૧૦ થી સ્વસ્થ્ય થનાર લોકોનો રાષ્ટ્રીય દર વધીને ૯૮.૮૦ ટકા થઇ ગયો છે. ગત ૨૪ કલાકમાં એડમીટ દર્દીઓની સંખ્યામાં ૧૪૦ કેસનો ઘટાડો નોધાયો છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *