ગીરગઢડાની મુખ્ય બજારના જાહેર માર્ગ પર ગટર ઉભરાવાના કારણે ગટરના પાણી જાહેર માર્ગ પર ફરી વળવાના કારણે રાહદારીઓ
તથા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અઠવાડિયામાં બે થી ત્રણ દિવસે ગટર ઉભરાવાની ઘટનાથી લોકો
ત્રાહિમામ પોકારી ગયા છે. ગીરગઢડા ગ્રામ પંચાયતમાં હાલ વહીવટદારનું શાસન છે. વહીવટદાર આ ગંભીર સમસ્યાનો સત્વરે ઉકેલ
લાવે તેવી વેપારીઓ તથા ગ્રામજનોમા માંગ ઉઠી છે.


