દામનગરને આંગણે શ્રી સીતારામ આશ્રમમાં સાધુ – સંતોની હાજરીમાં ૨૧મો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં ૨૫ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા. અહીંના ઢસા રોડ પર આવેલ શ્રી સીતારામ આશ્રમમાં તા.૧૬-૨-૨૩ ને ગુરુવારે પુ. દયારામબાપાની બીજી પુણ્યતિથિ અને ૨૧મો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતીઓએ સાધુ સંતોના આશીર્વાદ મેળવી પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આશ્રમના મહંત શ્રી સીતારામ બાપુએ દાતાઓ,સેવક સમુદાય અને નામી – અનામી કલાકારોનો આભાર માનેલ. ( અહેવાલ અતુલ શુક્લ.)



