નાણાંકીય સાક્ષરતા અઠવાડિયા અંતર્ગત સાંતલપુર ખાતે નાણાકીય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો.
નાણાંકીય સાક્ષરતા અઠવાડીયા અંતર્ગત લીડબઁક જૂનાગઢ,આર.બી.આઈ અને બીઓબી વંથલી દ્વારા સાંતલપુર ગામ ખાતે નાણાકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આર.બી.આઈ માથી શ્રીઆલોક કુમાર સિંઘ,જૂનાગઢ એસબીઆઇ લીડ બઁક મેનેજર શ્રીપ્રશાંત ગોહેલ,એફએલસીસી શ્રીદિલીપભાઇ છુગાણી,બીએમ બીઓબી વંથલી તથા ગામના ભાઈઓએ હાજરી આપી હતી. આ કેમ્પમાં વીમા યોજના-PMJJBY,PMSVY,અટલ પેન્સન યોજના વિશે,નાણાકીય જાગૃતતા કઈ રીતે કેળવવી,અને એને અનુસંધાન જરૂરી માહિતી આપવામાં આવી હતી અને લોકોને નાણાકીય સાક્ષરતા અંગે જાગૃત કર્યા હતા.


