*અમદાવાદની શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ કન્યા છાત્રાલય ખાતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સહયોગથી ઈન્ટરનેશનલ વુશુ પ્લેયર અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વરક્ષણ અને સલામતી અંગે તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 350 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ઘાટલોડિયા SHE ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ અલ્પાબેન વણઝારા તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા.*
*આ તાલીમ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંહ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.*
*સ્ત્રીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.*



