નવીદિલ્હી
તાજી શાકભાજી કોને ખાવી નથી ગમતી. તાજી શાકભાજી ખાવાથી તબિયત સારી રહે છે, તેમ ડોકટરો પણ કહે છે. તેથી જ જ્યારે લોકો શાક માર્કેટમાં જાય છે, ત્યારે તેઓ તાજી શાકભાજીની જ શોધ કરતા રહે છે. લોકો એકદમ તાજું લાગે તે શાકભાજી ખરીદે છે. જાે કે, ઘણી વખત એવું બને છે કે, તાજી દેખાતી શાકભાજી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે, કારણ કે તે શાકભાજી ખરેખર રસાયણોની મદદથી ઝડપથી ઉગાડવામાં આવ્યા છે અથવા તેને તાજી દેખાવા માટે રંગીન કરવામાં આવ્યા છે. આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો જાેવા મળ્યો હતો, જેમાં એક દુકાનદાર રીંગણ પર પર્પલ કલર છાંટતો જાેવા મળ્યો હતો, જ્યારે અન્ય એક દુકાનદાર પાલકને લીલા રંગમાં ડુબાડીને તાજી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વીડિયોએ લોકોના હોશ ઉડાવી દીધા હતા. આ સમયે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે પણ કંઈ ઓછો નથી. આમાં પણ એક વ્યક્તિ રસાયણોની મદદથી વાસી શાકભાજીને તાજું કરતો જાેવા મળે છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, એક વ્યક્તિ સંપૂર્ણપણે સુકાઈ ગયેલી કોથમીરને કેમિકલવાળા પાણીમાં નાખે છે અને તેને બહાર કાઢે છે. આ પછી, થોડી જ વારમાં તે શાકભાજી સંપૂર્ણપણે તાજી થઈ જાય છે, જેને જાેઈને કોઈ કન્ફ્યૂઝ થઈ જશે અને તે વિચારશે કે, તે શાકભાજી તાજી છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર જ્રટ્ઠદ્બૈંજેખ્તિી નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને તેને ‘બે મિનિટની વાસ્તવિક જીવનની હોરર સ્ટોરી’ તરીકે વર્ણવવામાં આવી છે. એક મિનિટ ૪૨ સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ લાખ ૬૦ હજારથી વધુ વખત જાેવામાં આવ્યો છે, જ્યારે ૩ હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ દરમિયાન, વીડિયો જાેયા પછી લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે, ‘આ ખૂબ જ ભયાનક છે’, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ‘આનો કોઈ ઈલાજ નથી અથવા તેઓ લોકોને આ રીતે ઝેર આપતા રહેશે’, જ્યારે કેટલાક યુઝર્સ એવું પણ પૂછી રહ્યા છે કે, આ કયું રસાયણ છે, જે શાકભાજીને સંપૂર્ણ રીતે તાજી બનાવે છે.
