Maharashtra

ભારતના કોરોના વેક્સિનેશન પર ડોકયુમેન્ટરી, આ સમય અને આ તારીખ છે આ પ્લેટફોર્મ પર મળશે જાેવા

મુંબઈ
ભારતનો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ સાબિત થયો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? ઐતિહાસિક અને અભૂતપૂર્વ ‘કોરોના યુદ્ધ’ની વિગતો જાણવા માટે ૨૪મી માર્ચ, ૨૦૨૩ના દિવસે ઠઠઠઁસ્ પર હિસ્ટ્રી ટીવી૧૮ની ‘ધ વાઇલ – ઈન્ડિયાઝ વેક્સિન સ્ટોરી’ ડોક્યુમેન્ટ્રી જુઓ. ડોક્યુમેન્ટ્રી ‘ધ વાઇલ’માં કોરોના વેક્સિનનું ઉત્પાદન, વિકાસ અને વહેંચણીમાં ભારતી સફળતા પાછળની આખી કહાણી દર્શાવે છે. કોરોના વેક્સિનેશનની શીશીના ઉત્પાદનમાં શું થયું તેની છ ર્ં ઢ માહિતી આપે છે. ૬૦ મિનિટની આ ડોક્યુમેન્ટ્રીમાં અભિનેતા મનોજ બાજપેયીએ આખી કહાણી જણાવી છે. આ એવી પહેલી ડોક્યુમેન્ટ્રી છે કે જેમાં ભારતના વડાપ્રધાન કોરોના મહામારી સામે મેળવેલી ઐતિહાસિક જીતને તેમના શબ્દોમાં વિગતવાર જણાવશે. હિસ્ટ્રી ટીવી ૧૮એ આ ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર રિલિઝ કર્યું છે. જેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ઝ્રઈર્ં અદાર પૂનાવાલા અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્‌સ પણ જાેવા મળશે. ‘ધ વાઇલ’ કોવિશિલ્ડ રસીના વિકાસનો ઘટનાક્રમ દર્શાવશે. પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં વેક્સિનની અછત ન પડે તેવી રીતે દેશની મોટાભાગની વસતિને પહોંચી વળવા માટે નિયત સમયમાં બનાવેલી વિશ્વની સૌથી અસરકારક બીજા નંબરની વેક્સિન તરીકે સ્થાન મેળવ્યું હતું અને તેની અબજાે વેક્સિન વાઇલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી નેટવર્ક ૧૮ સાથે વાત કરતા મનોજ બાજપેયીએ જણાવ્યુ હતુ કે, ‘ભારતની કોરોના વેક્સિનની સ્ટોરી દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે અને ભારતીયો તરીકે આપણે બધાને તેની જાણ હોવી જાેઇએ અને ગર્વ થવો જાેઇએ. જેમણે નિયત સમયમાં વેક્સિનનું ઉત્પાદન કર્યુ અને અનેક પડકારો હોવા છતાં રસીકરણ અભિયાન ચલાવ્યું તેવાં હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ફ્રન્ટલાઇન કર્મીઓને આ ડોક્યુમેન્ટ્રી સમર્પિત છે. તેને કારણે જ આજે આપણે આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર નીકળી શકીએ છીએ.’ ‘ધ વાઇલ’માં કેટલાક કેસ સ્ટડી ખૂબ જ બારીકાઈથી બતાવવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ભારત સરકાર અને આરોગ્ય કર્મચારીઓ કે જેમણે દૂરના વિસ્તારો, જંગમ વિસ્તારો અને અનેક સમસ્યાનો સામનો કરીને પણ લોકોને વેક્સિન પહોંચાડી છે તે અંગે પ્રકાશ પાડે છે. આજે ભારતના ૧૦૭ કરોડ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. આમ જાેવા જઈએ તો આ એક અઘરું કામ છે. ભારતે ‘રસી મૈત્રી’ અભિયાનથી અભિયાનથી વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં વિશ્વના ૧૦૦ દેશોમાં કોરોના વેક્સિનના ૨૩૨.૪૩ મિલિયન ડોઝ પૂરા પાડવામાં આવ્યાં છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *