સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી ખાતે વીટીવી ન્યૂઝ દ્વારા આયોજિત સેવા સંન્માન સમારોહમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તથા ઈફકો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદહસ્તે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને એવોર્ડથી સંમાનિત કરવામાં આવ્યાં. પ્રસ્તુત તસવીરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સ્થાનિક ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી અને તેમના ધર્મપત્ની આ એવોર્ડ સ્વીકારતાં નજરે પડે છે.


